Method - રીત
એક તપેલીમાં તેલ મૂકી, રાઈ, હિંગ, અને મરચાંના કટકા નાંખી, પાણી વઘારવું. ઉકળે એટલે દૂધીના કટકા, સૂરણના કટકા અને ગવારસિંગના કટકા નાંખવાં. શાક અડધું બફાય એટલે કેળાના કટકા અને સિંગદાણાને શેકી, છોડાં કાઢીને નાંખવા. બધુ શાક બફાય એટલે મીઠું, મરચું, હળદર, ગરમ મસાલો, ધાણાજીરું, તલ, વાટેલાં આદું-મરચાં, અને ગોળ-આબલીનું પાણી નાખવું. ચણાના લોટમાં મીઠું, મરચું, હળદર અને તેલનું મોણ નાંખી, ખીરું બાંધવું. 1 ચમચો ગરમ તેલ નાંખી તેનાં ભજિયાં તળી શાકમાં નાંખવા. ભજિયાં પોચાં થાય એટલે ઉતારી લીલા ધાણા નાંખવા. (આ શાક નવરાત્રિમાં શ્રી માતાજીના નૈવેદ્યમાં બનાવવામાં આવે છે.)