Method - રીત
મોરૈયાને પાણીમાં એક કલાક પલાળી રાખવો. પછી પાણી નીતારી, કપડા ઉપર પાથરી દેવો. કોરો થાય એટલે એક તપેલીમાં 2 ચમચા ઘી મૂકી, એલચીના દાણાનો વઘાર કરી, મોરિયો સાંતળવો બદામી રંગ થાય એટલે કેસર નાંખેલું દૂધ નાંખવું. મોરિયો બફાય એટલે ખાંડ નાંખવી. પછીથી માવો, નાળિયેરનું ખમણ, કાજુનો ભૂકો, ચારોળી અને એલચીનો ભૂકો નાંખી, ધીમા તાપ ઉપર સીઝવા મૂકવું. ફૂલી જાય એટલે 2 ચમચા ઘી નાંખી, ઘટ્ટ થાય એટલે ઉતારી, થાળીમાં ઘી લગાડી, બરફી ઠારી દેવી. ઉપર ખસખસ ભભરાવી, બદામની કતરી અને ચારોળી નાંખી સજાવટ કરવી.